શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

જાહેર અને નિજી ભાગીદારી

વ્યાવસાયિક તાલીમ આપવામાં નિજી પેઢીઓના સહભાગને પ્રોત્સાહન આપવા માટે અને સરકાર પરના નાણાંકીય ભારમાં કોઈ પણ વૃદ્ધિ કર્યા વગર ૧૭૮૩૯ બેઠક ક્ષમતા વાળા સ્વનિર્ભર રીતે એવા ૩૦૩ નિજી ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો (આઈ.ટી.સી.) ચલાવવામાં આવે છે. આઈ.ટી.આઈ.માં તાલીમ કાર્યક્રમોની રચના અને અમલીકરણ ના દરેક તબક્કે ઉદ્યોગોને શામેલ કરવું જરૂરી છે જેથી આ આઈ.ટી.આઈ.માં ઉદ્યોગોની જરૂર પ્રમાણે તાલીમ આપી શકાય. ભારત સરકાર દ્વારા સૂચિત શ્રેષ્ઠતા કેન્દ્ર યોજના હેઠળ સંસ્થા સંચાલન સમિતિઓ (આઈ.એમ.સી.)ની રચના દ્વારા એક સારી શરુઆત કરવામાં આવી છે. ઔદ્યોગિક તાલીમ ક્ષેત્રમાં જાહેર અને નિજી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે વર્ષ ૨૦૦૮–૨૦૦૯ દરયાન લગભગ ૧૬૫ આઈ.એમ.સી.ની સ્થાપના કરવી.

આદિજાતિ ક્ષેત્ર ઉપયોજના (નવો ગુજરાત નમૂનો):

ટી.એ.એસ.પી.માટે ની ફાળવણી માટેના સુધારેલ નમૂના હેઠળ નવા ગુજરાત નમૂના પ્રમાણે ભંડોળની ઓછામાં ઓછી ફાળવણી માટે વર્ષ ૨૦૦૮–૨૦૦૯માં રૂ.૨૯૯.૦૦ લાખની જોગવાઈની જરૂર છે, જેમા ટી.એ.એસ.પી.માટે ના રૂ.૧૦.૦૦ લાખના બીજરૂપ અંદાજપત્રનું પણ સમાવેશ છે. આમ વર્ષ ૨૦૦૯–૨૦૧૦ માટે કુલ રૂ.૯૬૯૭.૪૦ લાખની રકમની જોગવાઈ છે જેમા રૂ. ૬૯૦૭.૮૫ લાખ ચાલુ યોજનાઓ માટે અને રૂ.૨૭૮૯.૪૦ લાખ રોજગાર અને તાલીમ ક્ષેત્રની નવી બાબતો માટે છે.

© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 9/11/2011
વપરાશકર્તાઓ : 455971
ડિસક્લેમર