|
| ૩. અગ્યારમી પંચવર્ષી ય યોજના કાર્યક્રમ : |
| અગ્યારમી પંચવર્ષીય યોજના માં તાલીમ ક્ષેત્ર અને રોજગાર ક્ષેત્ર માટે રૂ. ૩૦૦૦૦.૦૦ લાખ નો મૂડીરોકાણ સૂચવવા માં આવ્યું છે. જેનુ વિઘટન નીચે પ્રમાણે છે : |
| ક્ર. સં. | ગૌણ સદર | અગ્યારમી પંચવર્ષીય યોજના માં સૂચવવા માં આવેલ મૂડીરોકાણ ( રૂ. લાખ માં ) |
|---|
| ૧ | ૦૩ - તાલીમ | ૨૭૦૭૨.૪૫ | | ૨ | ૦૨ - રોજગાર | ૧૪૮૨.૫૫ | | ૩ | ગુજરાત માટે નવો નમૂનો | ૧૪૪૫.૦૦ |
| કુલ..... | ૩૦૦૦૦.૦૦ |
|
|
| ( અ ) જનજાતિ ક્ષેત્ર ઉપયોજના માટે નાણાં |
| રાજ્ય અનુસૂચિત જનજાતિ વસ્તી માં રોજગાર યોગ્યતા સુધારવા માટે વિશિષ્ટ આઈ. ટી. આઈ. સ્થાપી ને અ. સૂ. જ. જા. યુવાનો માં રોજગાર કૌશલ્યો ના વિકાસ પર ખાસ જોર આપવા માં આવ્યું છે. તે રાજ્ય ના આદિવાસી વસ્તી વાળા ક્ષેત્રો માં આદિવાસી યુવાનો માટે છે. જનજાતિ ક્ષેત્ર ઉપયોજના હેઠળ હાલ માં કુલ ૧૦૪૧૬ બેઠકો ની ભરતી ક્ષમતા સાથે ૪૮ આઈ. ટી.. આઈ. કાર્યરત છે. દસમી પંચવર્ષીય યોજના દરમ્યાન જનજાતિ ક્ષેત્ર ઉપયોજના હેઠળ રૂ. ૫૧૩૫.૦૦ લાખ ફાળવવા માં આવ્યા હતાં જેની સામે રૂ. ૩૫૮૪.૯૨ લાખ નો ખર્ચ થયો હતો. અગ્યારમી પંચવર્ષીય યોજના માં રૂ. ૪૫૦૦.૦૦ લાખ નો મૂડીરોકાણ ફાળવવા માં આવ્યો છે જેમાં થી રૂ. ૫૦.૦૦ લાખ મધ્યવર્તી અંદાજપત્ર માટે અને રૂ. ૧૪૪૫.૦૦ લાખ ગુજરાત ના નવા નમૂના માટે આપવા માં આવ્યા છે. |
|
| ( બ ) અનુસૂચિત જાતિ માટેના વિશિષ્ટ ઘટકો માટે નાણાં |
| વિશિષ્ટ ઘટક યોજના, યોજના અંદરની એક યોજના છે, જ્યાં દરેક વિભાગ અનુસૂચિત જાતિના વિકાસ માટે જરૂરિયાત આધારિત કાર્યક્રમો ઘડે છે. સંબંધિત યોજનાઓ માં અનુસૂચિત જાતિ માટે ખાસ નાણાંકીય ખર્ચ અને ભૌતિક લક્ષ્યો નિર્ધારિત કરવા માં આવે છે અને દરેક વિભાગ ની શાખાકીય યોજનાઓ માં સમાવવા માં આવે છે. દસમી પંચવર્ષીય યોજના દરમ્યાન વિશિષ્ટ ઘટક યોજના માટેના રૂ. ૨૧૬૫.૦૦ લાખ મૂડીરોકાણ ની સામે વિશિષ્ટ ઘટક યોજના માં રૂ. ૧૦૪૫.૨૮ લાખ ખર્ચ કરવા માં આવ્યા હતા.અગ્યારમી પંચવર્ષીય યોજના માં વિશિષ્ટ ઘટક યોજના માટે રૂ. ૨૨૫૦.૦૦ લાખ નો મૂડીરોકાણ ફાળવવા માં આવ્યો છે. |
| ૪. દસમી પંચવર્ષીય યોજના ( ૨૦૦૨ – ૨૦૦૭ ) સુધી નાણાંકીય અને ભૌતિક સિદ્ધિઓ |
નવમી પંચવર્ષીય યોજના ના અંત માં ૫૪૪૧૬ બેઠકો ની ભરતી ક્ષમતા સાથે ૧૨૯ આઈ. ટી.. આઈ. હતી. દસમી પંચવર્ષીય યોજના દરમ્યાન બેઠક ક્ષમતા માં ૧૪૫૧૩ બેઠકો ઉમેરવા માં આવી હતી આ યોજના નો મુખ્ય હેતુ છે, રાજ્ય ની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈ. ટી.. આઈ.) માં વિવિધ એન. સી. વી. ટી. અને એસ. સી. વી. ટી. નમૂના વ્યવસાય અભ્યાસક્રમો ની તાલીમ દ્વારા ઉપ્લબ્ધ કુશળ માણસો નો વિકાસ આ યોજના જનજાતિ ક્ષેત્ર ઉપયોજના, વિશિષ્ટ ઘટક યોજના, મહિલા વિકાસ, માહિતી પ્રોદ્યોગીકી અને પ્રશિક્ષક તાલીમ કેન્દ્રો હેઠળ પણ ચલાવવા માં આવી હતી. સરકારી આઈ. ટી.. આઈ. માં તાલીમાર્થીઓ ની સીમિત પ્રવેશ ક્ષમતા ને લીધે કેટલાક સહાયક અનુદાન ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો ને ૧૯૮૨ માં એન. સી. વી. ટી. / એસ. સી. વી. ટી. નમૂના અભ્યાસક્રમો ચલાવવા ની પરવાનગી આપવા માં આવી હતી. શરુઆત માં ૫૦૦ બેઠકો ની ભરતી ક્ષમતા સાથે આવી કેવળ આઠ સંસ્થાઓ ને પરવાનગી આપવામાં આવી હતી. પણ દસમી યોજના ( ૨૦૦૨ – ૦૭ ) ના અંતમાં ૧૧,૭૬૪ બેઠકોની ભરતી ક્ષમતા સાથે ૧૦૭ સહાયક અનુદાન સંસ્થાઓ હતી.
આઈ. ટી.. આઈ. / આઈ. ટી. સી. માં રોજગાર વ્યવસાય માટેની સીમિત બેઠક ક્ષમતા જોતાં અને માહિતી પ્રોદ્યોગીકી સંબંધિત સેવાઓ ની જરૂરિયાતો ને પૂરી કરવા માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૦ થી નાની મુદત ના કોમ્પ્યુટર અભ્યાસક્રમો રજૂ કરવા નું નક્કી કર્યું અને દસમી પંચવર્ષીય યોજના ના અંત સુધી માં ૩૦,૦૦૦ મહિલાઓ સહિત ૧,૦૬,૬૯૫ યુવાનોએ આનો લાભ લીધો છે.
સરકાર પાસે ના અને અનુદાન સહાયક સંસ્થાઓ પાસેના ઉપલબ્ધ સીમિત આંતરમાળખા ને કારણે કેટલીક નિજી ક્ષેત્ર ની સંસ્થાઓ ને પણ કોમ્પ્યુટર વર્ગો ચલાવવા ની પરવાનગી આપવા માં આવી હતી દસમી યોજના માં રૂ. ૨૬૯૬૦.૦૦ લાખ નો મૂડી રોકાણ ફાળવવા માં આવ્યું હતું જેની સામે નિયામક ની કચેરી દ્વારા રૂ. ૧૯૭૪૭.૮૫ લાખ ખર્ચ કરવા માં આવ્યા હતા. આમ દસમી યોજના ના અંત માં નાણાંકીય સિદ્ધિ ૭૩.૨૫% હતી. |
|
|
|