શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય નિયામકની કચેરી

૩. દસમી પંચવર્ષીય યોજના સુધીની આર્થિક અને ભૌતિક સિધ્ધિઓ : (૨૦૦૨ - ૨૦૦૭)

તમામ ૪૯૭ એમ. એ. એચ. કારખાનાઓમાં જગ્યા ઉપર જ તત્કાલીન યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. તમામ ૨૫ જીલ્લાઓમાં સ્થળ બહારની તત્કાલીન યોજનાઓ તૈયાર કરવામાં આવી છે . એક જ વર્ષમાં તમામ યોજનાઓ ફરીથી પૂરજોશમાં આધુનિક રીતે ચલાવવામાં આવી છે. સુસંગત જીલ્લા કલેક્ટરની ગેરહાજરીમાં સ્થળ બહારની તત્કાલીન યોજનાઓને ફરીથી ઝડપથી ચલાવવામાં આવે છે.

મકાન બાંધકામ અને અન્ય બાંધકામનો અમલ જુન - ૨૦૦૫ થી કરવામાં આવ્યો છે. તે માટેના પૂરક કાર્યો માટે ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય નિયામક મંડળની નિમણૂંક કરવામાં આવી છે.

તમામ ઓફિસરો અને માલિકોને કોમ્પ્યુટર વિષય, વહીવટી સુધારણા અને વી - ગવર્નન્સની તાલીમ લીધી હતી.
તમામ ઓફિસરોને દુર્ઘટના સંચાલન સંલગ્ન તાલીમ આપવામાં આવશે.
અગાઉના પાંચ વર્ષોમાં થયેલા ૧૦૮૫ જેટલા અકસ્માતોની સરખામણીમાં જીવલેણ અકસ્માતોની સંખ્યા ઘટીને ૭૯૨ થઇ ગઇ છે. (૨૭%)
અગાઉના પાંચ વર્ષોમાં થયેલા ૫૩,૭૮૬ જેટલા અકસ્માતોની સરખામણીમાં બિન જીવલેણ અકસ્માતોની સંખ્યા ઘટીને ૩૬૧૦૮ થઇ ગઇ છે. (૩૨,૮૭%)
અગાઉના પાંચ વર્ષોની સરખામણીમાં વધુ ૧૧૨૩ નિરિક્ષણો કરવામાં આવ્યા છે.
વિભાગને માર્ચ - ૨૦૦૭ ના અંત માટે રૂ. ૫૦ કરોડ એકઠા કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. વિભાગ આ લક્ષ્ય મેળવવા માટે આશાવાદી છે.
નોંધાયેલ કારખાનાઓમાં અંતિમ પાંચ વર્ષમાં ૧૪.૨૩% જેટલો વધારો થયો છે.

ઔદ્યોગિક આરોગ્યપ્રદ પ્રયોગશાળા જૂથે ૧૦૪૮ કારખાનાઓની મુલાકાત કરી અને ૯૫૬૫ નમૂનાઓની ચકાસણી કરી વિભાગના પ્રમાણિત સર્જનો દ્વારા કુલ ૬૯૮૯ કામદારોનું તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું.

સલામત આરોગ્ય અને ઉત્પાદકતા માટે વડોદરામાં વ્યાવસાયિક આરોગ્ય પર પ્રાદેશિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું.

લોકોને આરોગ્ય અને સુરક્ષા વિષે જાગૃત કરવા ગુજરાતના તમામ મુખ્ય ઔદ્યોગિક જૂથમાં રાજ્ય સ્તરે ૧૯ દિવસની દુર્ઘટના સંચાલન ચળવળનું આયોજન કરવામાં આવ્યું. ૧૬૫૪૫ લોકોએ આ ચળવળમાં ભાગ લીધો.

દર વર્ષે રાજ્ય કક્ષાની સુરક્ષા અંગેનો પરિસંવાદ યોજવામાં આવે છે. દર વર્ષે લગભગ સાતથી નવ હજાર ભાગીદારો ભાગ લે છે.
અગરિયાઓની આરોગ્ય સ્થિતિ, એસ્બેસ્ટોસ અને તીવ્ર અવાજ કરતા ઉત્પાદક ઉદ્યોગો પર સંશોધન કરવામાં આવ્યું.
શારિરીક રીતે વિકલાંગ વ્યક્તિ અધિનિયમ હેઠળ ૫૬૨ શારિરીક રીતે વિકલાંગ વ્યક્તિઓએ રોજગારી મેળવી
દર વર્ષે યોગ્ય કામદારોમાં રાજ્યના શ્રમ પારિતોષિકોનું વિતરણ કરવામાં આવે છે.
વિભાગના ઓફિસરો વર્ષમાં એકવાર તમામ રાસાયણિક, જોખમી અને મધ્યમ અને વિશાળ ઉદ્યોગોનું નિરિક્ષણ કરે છે.

અંતિમ પાંચ વર્ષ દરમિયાન, જુદા જુદા કારખાનાઓ સામે ૯૮૮૧ ફરિયાદ પક્ષો જાહેર કરવામાં આવ્યા. દંડ તરીકે રૂ. ૭૮,૪૪,૨૮૫.૦૦ લઇને ૪૦૭૬ કેસ જમા કરવામાં આવ્યા છે.

અંતિમ પાંચ વર્ષ દરમિયાન માહિતી પ્રોદ્યોગિકીના વપરાશમાં વધારો કરવામાં આવ્યો.
અંતિમ પાંચ વર્ષ દરમિયાન રૂ. ૧૭,૭૩,૭૩,૬૪૫.૦૦ પરવાના ફી તરીકે એકઠા કર્યા.
દસમી પંચવર્ષીય યોજના દરમિયાન આણંદ, નવસારી અને ગાંધીનગર દરેકમાં ત્રણ નવી ઓફિસો ખોલવામાં આવી.
પાછળ જુઓ આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 7/1/2010
વપરાશકર્તાઓ : 455970
ડિસક્લેમર