| વિજ્ઞાન અને પ્રોદ્યૌગિક વિભાગની માર્ગદર્શિકા પ્રમાણે જી.આર. નં. આઇ. ડબલ્યુ. ડી-૨૦૦૬–૨૧૦૨–ડિ. એસ. ટી. તારીખ પાંચમી ઓક્ટોબર, ૨૦૦૬, શ્રમ અને રોજગાર વિભાગ પણ સચિવાલય, ગાંધીનગર, અમદાવાદ અને તેની ગૌણ કચેરીઓમાં આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ પ્રોજેક્ટનું વિસ્તરણ કરશે. આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ પ્રોજેક્ટનું વિસ્તરણ કરવા માટે કુલ ૫૮૨ ઉપભોક્તા પરવાનાઓની આવશ્યકતા છે. ઉપર મુજબના ડી. એસ. ટી. ઠરાવ પ્રમાણે દરેક ઉપભોક્તાનો ઉપભોક્તા પરવાનો ૫૦૦૦/- ની કિમતનો છે, તેથી આ આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ ઉપભોક્તા પરવાનાઓની કુલ કિંમત રૂ. ૨૯,૧૦,૦૦૦/- થાય છે. |