ખેડૂત, ખેતરના ચોકિયાતો અને ખેતમજૂરી વચ્ચે બનેલા અણબનાવ અન્વયે સરકારે ૧૯૭૬ માં સાતેમ પંચની રચના કરી હતી. જેની ભલામણો અન્વયે ૧૯૭૭ માં ખેડૂતો, ખેતમજૂરોના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓની બનેલી ત્રિપક્ષીય તદર્થ સમિતિની રચના કરી હતી. જે સમિતિના અહેવાલ અન્વયે ગ્રામ મજૂર કમિશ્નરની કચેરી તા. ૨૯-૧૨-૧૯૮૦ થી રચવામાં આવી છે. આ તંત્ર ખેતમજૂરો માટે લધુત્તમ વેતન અધિનિયમનું ચુસ્તપણે પાલન કરાવે છે. વળી આ તંત્ર હસ્ત કના ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ધ્વારા કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવી છે. ગ્રામ શ્રમ આયુક્ત તંત્ર રાજ્ય કક્ષાએ બ્લોક નં. ૭, પહેલો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર-૧૦ ખાતે બેસે છે. જેમાં ગ્રામ શ્રમ આયુક્તશ્રીના હાથ નીચે નાયબ ગ્રામ શ્રમ આયુક્ત, મદદનીશ ગ્રામ શ્રમ આયુક્ત, હિસાબી અધિકારી, વહીવટી, હિસાબી અને મજૂર કાયદા અંગેની શાખા અને તેના કર્મચારીઓ કાર્યરત છે અને જિલ્લા કક્ષાએ ૧૮ સરકારી શ્રમ અધિકારીઓ તથા તાલુકા કક્ષાએ ૧૦૦ મદદનીશ સરકારી શ્રમ અધિકારીઓ કાર્યરત છે. |