શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપધ્ધતિ

પ્રકરણ - ૯

વિભાગની કામગીરી અંગે જેવી કે સીધી ભરતી/બઢતી, શિસ્ત વિષયક કાર્યવાહી/ પ્રવરતા / ખાનગી અહેવાલ/રોસ્ટર, પગાર ધોરણ, બજેટ, સંકલન, શ્રમ નીતિ વિષયક, રોજગારલક્ષી કાર્યક્રમો અને તેની નીતિ અને તેના અમલીકરણને લગતી કામગીરી સચિવાલય કચેરી કાર્યપધ્ધતિ, ગુજરાત સરકારના કામકાજના નિયમો તેમજ સામાન્ય વહીવટ વિભાગ તરફથી નકકી કરવામાં આવેલ ચેનલ ઓફ સબમીશન મુજબ જુદા જુદા તબકકાએ નિર્ણય લેવામાંઆવે છે. આ નિર્ણય લેવાની કાર્યવાહીમાં નીચેના અધિકારીઓ સંકળાયેલ છે.

 રાજયપાલશ્રી
 મુખ્ય મંત્રીશ્રી
 મંત્રીશ્રી- શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો ) મુખ્ય સચિવશ્રી
 અગ્ર સચિવશ્રી, સામાન્ય વહીવટ વિભાગ / નાણા વિભાગ
 સંયુકત સચિવશ્રી/ નાયબ સચિવશ્રી
 ઉપ સચિવશ્રી સેકશન અધિકારી

ઉકત વિષયો અંગે વહીવટી નિર્ણયો માનનીય મંત્રીશ્રી/ માનનીય મુખ્ય મંત્રીશ્રીની સંમતિથી ચેનલ ઓફ સબમીશન મુજબ લેવામાં આવે છે.

અન્ય સબંધિત વિષયને ધ્યાને લઇ જે તે વિભાગના વહીવટી વડાની સંમતિથી/માર્ગદર્શન મેળવી વહીવટી વિભાગના ચેનલ ઓફ સબમીશન મુજબ નિર્ણય લેવામાં આવે છે.

© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 29/6/2010
વપરાશકર્તાઓ : 455540
ડિસક્લેમર