ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કામકાજના નિયમો, ૧૯૯૦ ના નિયમ-૧પ હેઠળ સરકારી કામકાજને લગતી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. આ સૂચનાઓ અંતર્ગત સબંધિત વિભાગના મંત્રીશ્રી દ્વારા વહીવટી બાબતોનો કઇ કક્ષાએ નિકાલ કરવો તે અંગેની સૂચનાઓ આપવામાં આવે છે. અને આ સૂચનાઓ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. આ સૂચનાઓ પૈકીની સૂચના ક્રમાંક:૧પ હેઠળ માનનીય મુખ્ય મંત્રીશ્રીને નિર્ણય અર્થે રજૂ કરવાના કેસોની વિગતો જણાવેલ છે. તદ્દનુસાર ગુજરાત વિધાનમંડળ સચિવાલયના કેસો, અખિલ ભારતીય સેવાના અધિકારીઓની સેવા વિષયક તથા વહીવટી બાબતો, મુખ્ય મંત્રીશ્રી જરુરી ગણે તેવા અગત્યના કેસો રજુ કરવાના રહે છે.
રાજયના જાહેર હિતની બાબતો, નીતિ વિષયક બાબતો તથા કાયદાઓમાં સુધારા-વધારા કરવાની બાબતો મુખ્ય સચિવ, સબંધિત મંત્રીશ્રી, કાયદા મંત્રીશ્રી તથા મુખ્ય મંત્રીશ્રીની પૂર્વ મંજૂરી મેળવીને મંત્રી-મંડળની વિચારણા માટે રજુ કરવામાં આવે છે.
અખિલ ભારતીય સેવાઓને લગતી બાબતો અને નાણા વિભાગને લગતી બાબતો અનુક્રમે સામાન્ય વહીવટ વિભાગ, તથા નાણા વિભાગના પરામર્શમાં નિર્ણય લેવામાં આવે છે. |
અગ્ર સચિવશ્રી-શ્રમ અને રોજગાર વિભાગની કામગીરીના ઓવર ઓલ ઇન્ચાર્જ તરીકે છે. તેઓની નીચે સંયુકત સચિવશ્રી(રોજગાર), નાયબ સચિવશ્રી(શ્રમ), નાયબ સચિવશ્રી(ગ્રામ), નાયબ સચિવશ્રી(મહેકમ, સંકલન, બજેટ), ઉપ સચિવશ્રી(શ્રમ/ગ્રામ), ઉપ સચિવશ્રી(મહેકમ, બજેટ, સંકલન, રોકડ, રોજગાર), સેકશન અધિકારીઓ વગેરે ફરજ બજાવે છે. |